મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા


SHARE













મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા

મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે રજડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. અને હવે મનપા દ્વારા પંચાસર રોડે આવેલ નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાના એએનસીડી શાખા દ્વારા ૨૮ ફેબ્રુઆરીના રોજ નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે. અને મોરબીમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. અને ત્યાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે મોરબી મહાનગરપાલિકા એએનસીડી શાખા દ્વારા માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપેલ છે મોરબી મહાનગરપાલિકાના એએનસીડી શાખા દ્વારા ૩૩ પેટ ડોગ ના રજીસ્ટ્રેશન થયેલ છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરીએ છે.






Latest News