મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા


SHARE









વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે જો કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી લોકોને દહેશત છે.

મોરબીમાં આવેલધીરવાસ વિસ્તારમા છેલ્લા ઘણા દિવસોથી મહાપાલિકા દ્વારા પીળા રંગના દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જયારે મોરબી મહાપાલિકાની પાછળના ભાગમાં આવેલ વસંત પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની જગ્યાએ ભૂગર્ભ ગટરના પાણી જેવુ કાળ કલરનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ જુદાજુદા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલવાની દહેશત જોવા મળી રહી છે. ઉલેખનીય છે કે, વસંત પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત આ બાબતે મહાપાલિકામાં લેખીત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ મહાપાલિકા દ્વારા ગંદા પાણીની જગ્યાએ લોકોને શુદ્ધ પાણી મળે તેના માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવેલ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. હાલમાં માર્ચ એંડિંગ હોવાની લોકો પાસે વેરો ઉઘરાવવા માટે મહાપાલિકાના અધિકારીઓએ ધોકો પછાડી રહ્યા છે અને વેરો ન ભારે તો આસામી સામે કાર્યવાહી કરવામાં આવે છે તો નિયમિત રીતે વેરો ભરતા આસામીઓના ઘરે મહાપાલિકા દ્વારા રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણી જેવું પાણી આપવામાં આવે છે તો મહાપાલિકાના કમિશનર દ્વારા કેમ તેના બેદરકાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે. અને જો હવે મહાપાલિકા દ્વારા લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ગાંધીનર સુધી રજુઆત કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News