શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી સાર્વજનીક મહાકાલી પુજા કમિટિ દ્વારા કાલી પુજા શરૂ, ડો. જયંતિભાઇ ભાડેશીયાએ પંડાલ ખુલ્લો મુકાયો


SHARE











સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીમાં દર વર્ષે દિવાળીના દિવસે મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં મહાકાલી પૂજા નું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ તથા મોરબીના નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને આગામી ચાર દિવસ સુધી ત્યાં માતાજીનું પૂજન, અર્ચન, દર્શન  અને પ્રસાદનો લાભ લેશે.

સમગ્ર દેશની અંદર મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બંગાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે જોકે છેલ્લા 19 વર્ષથી મોરબીમાં સાર્વજનિક મહાકાલી પૂજા કમિટી દ્વારા મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં દિવાળીના દિવસથી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા ના હસ્તે કાલી પૂજાના પંડાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ મોરબીમાં સોની સમાજ, બંગાળી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને માતાજીના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આજથી ચાર દિવસ સુધી મહાકાલી પૂજા ના પંડાલમાં દરરોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી તથા રાત્રિના 9:30 થી 10:30 સુધી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ દર્શનાર્થીઓને ખીચડી પ્રસાદ પણ આયોજકો દ્વારા આપવામાં આવતો હોય છે અને આગામી તા. 3/11 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે દરબાર ગઢથી વિસર્જન યાત્રા શરૂ કરાશે તેવી માહિતી આયોજકો પાસેથી જાણવા મળે છે.






Latest News