મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી સાર્વજનીક મહાકાલી પુજા કમિટિ દ્વારા કાલી પુજા શરૂ, ડો. જયંતિભાઇ ભાડેશીયાએ પંડાલ ખુલ્લો મુકાયો


SHARE

























સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીમાં દર વર્ષે દિવાળીના દિવસે મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં મહાકાલી પૂજા નું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ તથા મોરબીના નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને આગામી ચાર દિવસ સુધી ત્યાં માતાજીનું પૂજન, અર્ચન, દર્શન  અને પ્રસાદનો લાભ લેશે.

સમગ્ર દેશની અંદર મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બંગાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે જોકે છેલ્લા 19 વર્ષથી મોરબીમાં સાર્વજનિક મહાકાલી પૂજા કમિટી દ્વારા મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં દિવાળીના દિવસથી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા ના હસ્તે કાલી પૂજાના પંડાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ મોરબીમાં સોની સમાજ, બંગાળી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને માતાજીના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આજથી ચાર દિવસ સુધી મહાકાલી પૂજા ના પંડાલમાં દરરોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી તથા રાત્રિના 9:30 થી 10:30 સુધી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ દર્શનાર્થીઓને ખીચડી પ્રસાદ પણ આયોજકો દ્વારા આપવામાં આવતો હોય છે અને આગામી તા. 3/11 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે દરબાર ગઢથી વિસર્જન યાત્રા શરૂ કરાશે તેવી માહિતી આયોજકો પાસેથી જાણવા મળે છે.




Latest News