અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી સાર્વજનીક મહાકાલી પુજા કમિટિ દ્વારા કાલી પુજા શરૂ, ડો. જયંતિભાઇ ભાડેશીયાએ પંડાલ ખુલ્લો મુકાયો


SHARE

















સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીમાં દર વર્ષે દિવાળીના દિવસે મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં મહાકાલી પૂજા નું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ તથા મોરબીના નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને આગામી ચાર દિવસ સુધી ત્યાં માતાજીનું પૂજન, અર્ચન, દર્શન  અને પ્રસાદનો લાભ લેશે.

સમગ્ર દેશની અંદર મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બંગાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે જોકે છેલ્લા 19 વર્ષથી મોરબીમાં સાર્વજનિક મહાકાલી પૂજા કમિટી દ્વારા મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં દિવાળીના દિવસથી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા ના હસ્તે કાલી પૂજાના પંડાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ મોરબીમાં સોની સમાજ, બંગાળી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને માતાજીના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આજથી ચાર દિવસ સુધી મહાકાલી પૂજા ના પંડાલમાં દરરોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી તથા રાત્રિના 9:30 થી 10:30 સુધી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ દર્શનાર્થીઓને ખીચડી પ્રસાદ પણ આયોજકો દ્વારા આપવામાં આવતો હોય છે અને આગામી તા. 3/11 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે દરબાર ગઢથી વિસર્જન યાત્રા શરૂ કરાશે તેવી માહિતી આયોજકો પાસેથી જાણવા મળે છે.






Latest News