મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મુરઘીની ખરીદી કરવા ગયેલા બે યુવાન ઉપર ધારીયા-છરી વડે હુમલો, રીક્ષામાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠમાં મુરઘીની ખરીદી કરવા માટે તેને બે યુવાનને મચ્છીપીઠમાં આવવાની ના પાડીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ધારીયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનની રિક્ષામાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હાલમાં એકની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા વસીમભાઈ યુનુસભાઈ જેડા (28) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર કાસમભાઈ સંધવાણી, અસલમ કાસમભાઈ સંધવાણી અને મુસ્તાક કાસમભાઈ સંધવાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી અને ઈસ્માઈલભાઈ કાણીયા મચ્છી પીઠમાં મુરઘીની ખરીદી કરવા માટે થઈને આવ્યા હતા ત્યારે સમીર સંધવાણીએ તેને જોઈ જતા મચ્છીપીઠમાં આવવાની ના પાડી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ અસલમ સંધવાણીએ લોખંડના ધારીયા વડે અને મુસ્તાક સંધવાણીએ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 6047માં તોડફોડ કરી હતી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં સમીર કાસમભાઇ સંધવાણીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ છે અને અસ્લમ તથા મુસ્તાક ની શોધખોળ ચાલી રહી છે








Latest News