માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ


SHARE











મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ

મોરબીના વજેપર ગામમાં  બાળકો માટે  નિ:શુલ્ક બાળ વાંચન માળાની  શરૂઆત કરવામાં આવી છે. અત્યારે નાના બાળકોમાં  મોબાઇલનું વ્યસન વધતું જાય છે. અને બાળકો દિવસભર મોબાઇલ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ  બાળકોને વાચન તરફ પાછા લઈ જવા માટે એક નાનકડી પુસ્તકની પરબ બનાવવામાં આવી છે જ્યાં ૫ થી ૧૪ વર્ષ સુધીના બાળકો પોતાના મનપસંદ પુસ્તકો મહિનાના પ્રથમ શનિવારે લઈ જઈ શકશે. આ બાળ વાંચન માળાની શરૂઆત વખતે પર્યાવરણ પરિવારના વિચારક તેમજ તેના પ્રણેતા પરમાર નર્મદાબેન લાલજીભાઈના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમને બાળકોને જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે બાળકોને સમજાવ્યું હતું, અને શરૂઆતમાં ૧૦ થી ૧૫ બાળકો પુસ્તકની પરબમા જોડાઈ ચૂક્યા છે. આ પુસ્તકોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવમાં આવેલ છે.






Latest News