તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ


SHARE















મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ

મોરબીના વજેપર ગામમાં  બાળકો માટે  નિ:શુલ્ક બાળ વાંચન માળાની  શરૂઆત કરવામાં આવી છે. અત્યારે નાના બાળકોમાં  મોબાઇલનું વ્યસન વધતું જાય છે. અને બાળકો દિવસભર મોબાઇલ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ  બાળકોને વાચન તરફ પાછા લઈ જવા માટે એક નાનકડી પુસ્તકની પરબ બનાવવામાં આવી છે જ્યાં ૫ થી ૧૪ વર્ષ સુધીના બાળકો પોતાના મનપસંદ પુસ્તકો મહિનાના પ્રથમ શનિવારે લઈ જઈ શકશે. આ બાળ વાંચન માળાની શરૂઆત વખતે પર્યાવરણ પરિવારના વિચારક તેમજ તેના પ્રણેતા પરમાર નર્મદાબેન લાલજીભાઈના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમને બાળકોને જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે બાળકોને સમજાવ્યું હતું, અને શરૂઆતમાં ૧૦ થી ૧૫ બાળકો પુસ્તકની પરબમા જોડાઈ ચૂક્યા છે. આ પુસ્તકોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવમાં આવેલ છે.




Latest News