મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગલા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
Breaking news
Morbi Today

મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર


SHARE











મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મોરબી તાલુકાના અપહરણ તથા પોકસોના ગુનાના ગુનામાં પકડાયેલા આરોપીના વકીલ મારફતે જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, તેની સગીર વયની દીકરીનું અપહરણ કરીને લઈ ગયા હતા અને આ ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી. જેમાં આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફત મોરબી કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે  મોરબીના એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News