મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ
SHARE
મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદી ઉપર વધુ એક બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મોરબી શહેરનો ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજ માટેની કામગીરી શરૂ કરી છે અને હાલમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે
મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મચ્છુ નદી ઉપર પાડાપુલની ડાઉનસ્ટ્રીમ બાજુ નવા બ્રીજના નિર્માણ માટે DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની યોજના અંતર્ગત ૪૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવેલ છે. આ બ્રિજમાં અંદાજીત ૧૬ ગાળા, ૧૦.૫૦ મીટર પહોળો કેરેજ વે તથા બન્ને બાજુ ૧.૫૦ મીટર પહોળી ફુટપાથનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બ્રીજનું નિર્માણ શાંતિવન આશ્રમથી શરૂ થઈ મોરબી-ર વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ સુધી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થવાથી વીસીપરા. લાયન્સનગર, રણછોડનગર, અમરેલી વિસ્તારના રહીશો તેમજ મોરબી-૨ થી વિશીપરા વચ્ચે અવરજવર કરતા નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને શહેરના વાહન વ્યવહારને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે. તેમ મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.