મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો
પ્રજાલક્ષી અભિગમ; મોરબી જિલ્લાના 32 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે પહોંચ્યા ગામડે
SHARE







પ્રજાલક્ષી અભિગમ; મોરબી જિલ્લાના 32 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે પહોંચ્યા ગામડે
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજા કલ્યાણકારી પ્રવૃતિઓ ચાલુ રહે તે માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 25/11 ના રોજ પણ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લાના 32 અધિકારીઓ દ્વારા 19 ગામડાઓની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના 5, માળીયા તાલુકાના 3, ટંકારા તાલુકાના 3, વાંકાનેર તાલુકાના 4 અને હળવદ તાલુકાના 4 મળી કુલ 19 ગામડાઓની મુલાકાત કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ગામડાઓમાં આંગણવાડી, પશુ દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, તલાટી મંત્રીઓની કામગીરી, શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સસ્તા અનાજની દુકાનો, બેન્કની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, વિધવા પેન્શન સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.
