માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદે મળ્યો

મોરબીના કંડલા બાયપાસ ખાતે મચ્છુ-૩ ડેમમાં ગઈકાલે સવારે એક રીક્ષા ચાલકે પડતું મૂક્યું હતું અને તે બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને ગઈકાલે વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો હતો જો કે, આજે સવારે ટીમ દ્વારા મચ્છુ-૩ ડેમમાંથી યુવાનો મૃતદેહ મળી આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-૩ ડેમ ખાતે રિક્ષા ચાલકે ગઇકાલે ડેમમાં ઝંપલાવ્યું હતું જે અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને ડેમમાં પડેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ડેમમાં શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પત્તો લાગેલ ન હતો. જો કે, આજે સવારે ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢેલ છે અને મૃતક યુવાનનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (૩૨) રહે. વિજયનગર રોહીદાસ પરા પાછળ અમરેલી રોડ મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે. જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News