માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી: નર્મદા બાલઘર દ્વારા તૈયાર કરવામાં આવેલ 89 કોર્સનું પ્રદર્શન નિહાળવા આમંત્રણ


SHARE













મોરબી: નર્મદા બાલઘર દ્વારા તૈયાર કરવામાં આવેલ 89 કોર્સનું પ્રદર્શન નિહાળવા આમંત્રણ

આજની સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતી દુનિયામાં જ્યારે એક બાજુ યુવાનોને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે બીજી બાજુ, ઘણી બધી જગ્યાએ યોગ્ય લાયકાત વાળા વ્યક્તિઓની કમીને કારણે જગ્યાઓ ખાલી રહે છે. આ બધી પરેશાનીઓના નિવારણરૂપે મોરબીમાં નર્મદા બાલઘરે બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય અને તે સારી નોકરી મેળવે અથવા તો પોતે ENTREPRENEUR બનીને બીજા યુવાનોને પણ નોકરી આપી શકે તેટલો કાબીલ બની શકે, તે માટે કૌશલ્ય આધારિત 89 કોર્સ તૈયાર કર્યા છે.

મોરબીમાં નર્મદા બાલઘરનો ઉદ્દેશ્ય બાળકોને અનુભવી વિજ્ઞાન, 3 ડી પ્રિન્ટિંગ,ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન,A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, Augmented Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, સંગીત, સ્કેટિંગ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે જેવા વિષયોનો અનુભવી જ્ઞાન આપવાનો છે. જેથી બાળક ભવિષ્યમાં આત્મસક્ષમ બની શકે. આ પ્રવૃતિઓને બાળકો સુધી પહોંચાડવા માટે નર્મદા બાલઘર “MAKER’S ROOM MOVEMENT” ચલાવે છે. જ્યાં બાળકો 89 વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. જેના ભાગરૂપે નર્મદા બાલઘર શાળાઓને ટેક્નોલોજીના તથા જે તે વિષયોના સાધનોથી સુસજ્જ કરે છે તથા તેમના શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. જેથી દરેક શાળાના બાળકોને આ જ્ઞાન મળી શકે.

સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 1220 શાળાઓના 1634 શિક્ષકોને ટ્રેનિંગ આપીને કુલ 363835 બાળકોને આ સેવાનો લાભ મળેલ છે. આ 89 કોર્સનો લાભ શાળાઓ દ્વારા વધારેમાં વધારે બાળકો સુધી પહોંચે તે માટે પ્રવૃતિઓના પ્રદર્શન તથા માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા 1/12/24 ના રોજ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે જેથી નર્મદા બાલઘર મોરબીના તમામ બાળકો, વાલીઓ, શિક્ષકો તથા શિક્ષણવિદોને આ પ્રદર્શનમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News