મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત


SHARE











મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થવાથી તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે મારુતિ પ્રિન્ટર પેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં રણજીતકુમાર રાજપ્રસાદ (ઉંમર ૨૦) નામના યુવાનને ગત તા.૧-૧૧ ના રોજ કામગીરી દરમિયાન પંચિંગ મશીન ઉપર કામ કરતો હતો ત્યારે અંડકોષ અને ગુદાના ભાગે ઇજાઓ થઇ હતી જેથી કરીને રણજીતકુમાર નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા-મિંયાણાના નાના દહીંસરા ગામના રહેવાસી મરિયમબેન અસ્લમભાઈ સુમરા નામની ૬૬ વર્ષીય વૃદ્ધા મોરબી વીસીપરામાં સનરાજ કારખાના પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમનો પગ બાઇકના આરામાં આવી જવાથી ઈજાગ્રસ્ત થયેલા મરીયમબેનને અત્રેની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ રૂષભનગર વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ સુમતચંદ પંડ્યા નામના ૬૦ વર્ષીય બ્રાહ્મણ આધેડ સામાકાંઠે કેસરબાગ પાસેથી પગપાળા જતાં હતા ત્યારે અજાણ્યા ટુ-વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા ગતરાત્રીના અગિયારેક વાગ્યે તેમને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા






Latest News