વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતી વેળાએ જેક છટકતા લોડર નીચે દબાઇ જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવારમાં યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા દિલીપભાઈ કનુભાઈ પરમાર (ઉંમર ૧૮) રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી નજીક વાસુદેવ પોટરી પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતા હતા ત્યારે જેક છટક્વાના લીધે લોડરની નીચે દબાઈ જવાથી દિલીપભાઈ કનુભાઈ પરમારને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા દિલીપભાઈ પરમારનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃધ્ધનું મોત

મોરબી નજીકના લખધિરપુર ગામે રહેતા વીરજીભાઇ મૂળજીભાઈ ખાણદરિયા (ઉંમર ૭૦) પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા તેને પગ અને શરીરમાં ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News