મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના સસરાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ બનાવની નોંધ કરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી તો મને વાંકાનેર શહેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતા મહંમદઅસ્લમ વડાલીયાના પત્ની નીષાબેન (ઉંમર ૩૦) એ પોતાના ઘરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના સસરા રહિમભાઈ વડાલીયાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્રવધુએ ઘરમાં હૂક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો આઠ વર્ષનો છે અને કયા કારણોસર મહિલાએ આપઘાત કરે છે તે દિશામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News