માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત

મોરબી જીલ્લામાં ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી અને સસ્તા આનાજની દુકાનના ઘણા પ્રશ્નો છે જેથી કરીને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે માટે આ અંગે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે મોરબીના જાગૃત નાગરિકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરી છે.

મોરબીમાં રહેતા પી.પી. જોષીએ હાલમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, ગરીબી રેખા હેઠળ આવતા લોકોને રેશનકાર્ડ આધારે મફત અનાજ આપવામાં આવે છે પરંતુ ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી, જેથી લોકોને ઘણી મુષેકલીનો સામનો કરવો પડે છે અને તંત્ર વાહકોની બેદરકારીના લીધે રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને લોકોને બજારમાંથી નાછૂટકે અનાજ લેવું પડે છે. આમ સરકાર કરોડો રૂપીયા ખર્ચે તો પણ પુરવઠા ખાતાના અધિકારી અને દુકાનદારો વચ્ચે તાલમેલ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. જેથી કરીને સાસતા અનાજની દુકાનોની સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને સંતોષવામાં આવતી નથી જેથી કરીને તેઓ નાછુટકે હળતાલ કરે છે અને લોકોને અનાજ સહિતની વસ્તુઓ લેવા માટે હેરાન થવું પાસે છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગકરી છે.






Latest News