મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત

મોરબી જીલ્લામાં ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી અને સસ્તા આનાજની દુકાનના ઘણા પ્રશ્નો છે જેથી કરીને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે માટે આ અંગે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે મોરબીના જાગૃત નાગરિકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરી છે.

મોરબીમાં રહેતા પી.પી. જોષીએ હાલમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, ગરીબી રેખા હેઠળ આવતા લોકોને રેશનકાર્ડ આધારે મફત અનાજ આપવામાં આવે છે પરંતુ ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી, જેથી લોકોને ઘણી મુષેકલીનો સામનો કરવો પડે છે અને તંત્ર વાહકોની બેદરકારીના લીધે રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને લોકોને બજારમાંથી નાછૂટકે અનાજ લેવું પડે છે. આમ સરકાર કરોડો રૂપીયા ખર્ચે તો પણ પુરવઠા ખાતાના અધિકારી અને દુકાનદારો વચ્ચે તાલમેલ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. જેથી કરીને સાસતા અનાજની દુકાનોની સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને સંતોષવામાં આવતી નથી જેથી કરીને તેઓ નાછુટકે હળતાલ કરે છે અને લોકોને અનાજ સહિતની વસ્તુઓ લેવા માટે હેરાન થવું પાસે છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગકરી છે.






Latest News