મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ગુજરાતના લોકોની જનસુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલઃ બ્રિજેશભાઇ મેરજા


SHARE











ગુજરાતના લોકોની જનસુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલઃ બ્રિજેશભાઇ મેરજા

સ્વસ્થ સમાજના નિર્માણ થકી સ્વસ્થ રાષ્ટ્રની પહેલને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા નિરામય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત મોરબી જિલ્લામાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે નિરામય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ અને નિરામય ગુજરાતની જનસુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે વિવિધ પ્રકારના ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાન પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. અતિ વ્યસ્ત જીવનશૈલીના કારણે ડાયાબીટીસબ્લડ પ્રેશર જેવી ગંભીર પરંતુ બિનચેપી અને છુપી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ અભિયાન હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ થી સારવાર સુધીની સેવા મળવાથી દરેક વર્ગના લોકોને લાભ થશે. 

જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ પ્રાસંગિક ઉદબોધન કરી આપણો મોરબી જિલ્લો રોગમુક્ત બને તે દિશામાં આ પહેલ થઇ રહી હોવાની વાત કરી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાએ રૂપરેખા રજૂ કરી સૌ આગેવાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આયોજીત નિરામય અભિયાન અંતર્ગત સર્જરી વિભાગસ્ત્રી રોગ વિભાગલેબોરેટરી વિભાગચામડી રોગ વિભાગઆયુષ્યમાન ભારત કાર્ડ વિભાગઆયુર્વેદ વિભાગદવા વિભાગ સહિતની વ્યવસ્થા નાગરિકો માટે વિનામુલ્યે ઉપલબ્ધ કરાવાઇ હતી. આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિવિધ વિભાગોની મુલાકાત લઇ વ્યવસ્થાઓને નિહાળી લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અને મંત્રીએ પોતાના આરોગ્યની પણ ચકાસણી કરાવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ટોકન રૂપે નિરામય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયંતિભાઇ પડસુંબીયા, પ્રવિણભાઇ સોનગ્રા, માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાસિવિલ હોસ્પિટલના અધિક્ષક દુધરેજીયા સહિત આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 






Latest News