ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર મોરબીમાં સત્સંગ સભાથી સ્ત્રી સશક્તિકરણનું જ્ઞાન આપી પિતાએ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવ્યો મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાં ટ્રાન્સપોટ ઉદ્યોગ ઠપ્પ: નેશનલ હાઇવે સૂમસામ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE













મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને પ્રેમ સંબંધ હતો અને તે તેની પ્રેમિકા સાથે ફોન ઉપર વાત કરતો હતો.જોકે કોઈ બાબતે અણબનાવ થતા યુવાનને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર લગાવેલા પંખા સાથે રબરની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતુ.ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ સનારીયા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિયાંશુ જયગોવિંદ પટેલ (25) નામના યુવાને લેબર કોલોનીમાં બીજા માળે આવેલ રૂમ નંબર 32 માં લગાવેલ પંખા સાથે રબરની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જે બનાવની મૃતક યુવાનના ભાઈ હિમાંશુભાઈ જયગોવિંદભાઈ (26) રહે.બાવળા મૂળ રહેવાસી યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને ફોનમાં વાતચીત કરતો હતો.જે બાબતે અણબનાવ થતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.જે અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News