મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE











ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે સુરાપુરા ખોડાબાપાના સાનિધ્યમાં તા 12 જાન્યુઆરીને રવિવારે કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20મું સ્નેહમિલન યોજાશે. ત્યારે સ્નેહમિલન સમારોહ, યજ્ઞ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, પાટીદાર સંસ્થાઓનું સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરો વિગેરે જેવા કાર્યક્રમ રાખવામા આવેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે તે ઉપરાંત નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, નાની વાવડીના કબીર આશ્રમના મહંત શિવરામબાપુ અને કોઠારીયા રામદેપીર જગ્યાના રાણીદાસબાપુ સહિતના હાજર રહેશે અને આશીર્વચન પાઠવશે.  આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આગમી તા. 12 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 7:00 કલાકે યજ્ઞ, 8:30 કલાકે સ્નેહમિલન અને દાતાઓનું સન્માન, 9:30 કલાકે વિદ્યાર્થીઓનું સન્માન, 12:30 કલાકે ભોજન, બપોરે 2:00 કલાકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ, સાંજે 6:00 કલાકે મહાઆરતી, 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. અને રાત્રે 9:00 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર બારૈયા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા, મહામંત્રી મનિષભાઈ બારૈયા, ખજાનચી જયંતિલાલ બારૈયા અને મંત્રી ભાવિનભાઈ બારૈયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News