મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE













ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે સુરાપુરા ખોડાબાપાના સાનિધ્યમાં તા 12 જાન્યુઆરીને રવિવારે કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20મું સ્નેહમિલન યોજાશે. ત્યારે સ્નેહમિલન સમારોહ, યજ્ઞ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, પાટીદાર સંસ્થાઓનું સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરો વિગેરે જેવા કાર્યક્રમ રાખવામા આવેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે તે ઉપરાંત નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, નાની વાવડીના કબીર આશ્રમના મહંત શિવરામબાપુ અને કોઠારીયા રામદેપીર જગ્યાના રાણીદાસબાપુ સહિતના હાજર રહેશે અને આશીર્વચન પાઠવશે.  આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આગમી તા. 12 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 7:00 કલાકે યજ્ઞ, 8:30 કલાકે સ્નેહમિલન અને દાતાઓનું સન્માન, 9:30 કલાકે વિદ્યાર્થીઓનું સન્માન, 12:30 કલાકે ભોજન, બપોરે 2:00 કલાકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ, સાંજે 6:00 કલાકે મહાઆરતી, 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. અને રાત્રે 9:00 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર બારૈયા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા, મહામંત્રી મનિષભાઈ બારૈયા, ખજાનચી જયંતિલાલ બારૈયા અને મંત્રી ભાવિનભાઈ બારૈયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News