વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે


SHARE











મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે

મોરબી મહાપાલિકામાં અસ્તિત્વમાં આવી ગયેલ છે અને એક પછી એક વિકાસ કામ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નગરજનોને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તે મહાપાલિકામાં રજૂઆત કરવામાં માટે આવી શકે છે અને તેના માટે કમિશ્નર દ્વારા સોમ અને ગુરુવારને નિશ્ચિત કરવામાં આવેલ છે તે દિવસે અરજદારોને કમિશ્નર દ્વારા સાંભળવામાં આવશે.

મોરબી મહાપાલિકાના નવનિયુક્ત કમિશ્નર  સ્વપ્નિલ ખરે લોકોની સુવિધામાં વધારો થયે તે રીતે એક પછી એક કામ કરી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે નિશ્ચિત કરેલ છે અને તે દિવસે બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. અને ત્યારે મહાપાલિકાને લગતી જે કોઈ ફરિયાદો મળશે તેનો ત્વરિત નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લોકો કમિશ્નરને રૂબરૂ મળીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.






Latest News