ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે


SHARE







મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે

મોરબી મહાપાલિકામાં અસ્તિત્વમાં આવી ગયેલ છે અને એક પછી એક વિકાસ કામ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નગરજનોને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તે મહાપાલિકામાં રજૂઆત કરવામાં માટે આવી શકે છે અને તેના માટે કમિશ્નર દ્વારા સોમ અને ગુરુવારને નિશ્ચિત કરવામાં આવેલ છે તે દિવસે અરજદારોને કમિશ્નર દ્વારા સાંભળવામાં આવશે.

મોરબી મહાપાલિકાના નવનિયુક્ત કમિશ્નર  સ્વપ્નિલ ખરે લોકોની સુવિધામાં વધારો થયે તે રીતે એક પછી એક કામ કરી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે નિશ્ચિત કરેલ છે અને તે દિવસે બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. અને ત્યારે મહાપાલિકાને લગતી જે કોઈ ફરિયાદો મળશે તેનો ત્વરિત નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લોકો કમિશ્નરને રૂબરૂ મળીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.






Latest News