મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેની માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપુત (26) નામનો યુવાન કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પહેલા માળે હતો ત્યારે પાળી ઉપરથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજથયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ પ્રભુભાઈ કાવર (37) રહે. લાલપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે

મોબાઈલ ફોનની ચોરી

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ કડિયા શેરીમાંથી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ગ્રીન ચોક નજીક આવેલ કડિયાવાસમાં રહેતા સફીમોહમ્મદ ઈદ્રીશભાઈ ગુર્જર (29) ના મોબાઈલ ફોનની રાહિલ રહે. બિહાર વાળાએ ચોરી કરી છે જેથી કરીને સેમસંગ કંપનીનો 13,500 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કર્યો હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહીલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News