ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE

















મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠે આવેલ વિસ્તારમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો યુવાન છત ભરવાનું કામકાજ કરતો હતો તે દરમિયાન તે ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલ આ બાબતે નોંધ થતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીના પાછળના ભાગે ઉમિયાનગર વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામ ખાતે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા થાનાના મિયારી ગામનો વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરીયા નામનો ૩૧ વર્ષનો યુવાન ગત તા.૨૪-૧૨ ના રોજ ઉમિયાનગર વિસ્તારમાં છત ભરવાનું કામકાજ કરી રહ્યો હતો.ત્યારે કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ઇજા પામતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગત તા.૨૯-૧૨ ના રોજ તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને અંતિમવિધિ માટે તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ.ત્યાં પીએમ કરવામાં આવ્યું હતું.જેથી ત્યાં થયેલ પોલીસ તપાસના કાગળ હાલ મોરબી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને આ બાબતે આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

છાતીમાં દુખાવા બાદ વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઇ બાલાસરા નામના ૬૦ વર્ષના વૃદ્ધને આજે તા.૧૦-૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના આરસામાં તેઓના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં જોઈ તપાસીને ડોક્ટર દ્વારા અમુભાઈ બાલાસરાને મૃત જાહેર કરાયા હતા અને આ બનાવ અંગે હાલ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવની વધુ તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ વેજીટેબલ રોડ ઉપર વાડી વિસ્તારમાં રહેતા નાનુંબેન મોહનભાઈ દેગામા નામના ૫૯ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં નીચે પટકાતા નાનુબેન દેગામાને ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઇ છે.




Latest News