મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ


SHARE

















મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ

મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ, સ્ટેનો ક્લાર્ક, બેલીફ અને પટ્ટાવાળાની જગયા ખાલી છે જેથી સમયસર કામ થતું નથી માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સીએમને લેખિત રજૂઆત કરીને સ્ટાફની નિમણૂક કરવા માગ કરવામાં આવી છે.

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતના ઘણા બધા કેસો આવે છે. જો કે, મોરબીમાં મહિનામાં એક જ વખત કોર્ટ ખુલે છે. અને ન્યાયમૂર્તિ પણ રાજકોટથી આવે છે. જ્યારે સભ્ય, ક્લાર્ક અને પટ્ટાવાળા જામનગરથી આવે છે. જેથી કરીને કામમાં વિલંબ થાય છે માટે અરજદારોને લાંબા સમય સુધી ન્યાય મેળટી નથી જેથી મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ અને સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.




Latest News