મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ


SHARE













મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ

મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ, સ્ટેનો ક્લાર્ક, બેલીફ અને પટ્ટાવાળાની જગયા ખાલી છે જેથી સમયસર કામ થતું નથી માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સીએમને લેખિત રજૂઆત કરીને સ્ટાફની નિમણૂક કરવા માગ કરવામાં આવી છે.

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતના ઘણા બધા કેસો આવે છે. જો કે, મોરબીમાં મહિનામાં એક જ વખત કોર્ટ ખુલે છે. અને ન્યાયમૂર્તિ પણ રાજકોટથી આવે છે. જ્યારે સભ્ય, ક્લાર્ક અને પટ્ટાવાળા જામનગરથી આવે છે. જેથી કરીને કામમાં વિલંબ થાય છે માટે અરજદારોને લાંબા સમય સુધી ન્યાય મેળટી નથી જેથી મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ અને સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.








Latest News