મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા


SHARE













મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને યેનકેન પ્રકારે લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે તેવું સામે આવ્યું છે તેવામાં મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલ છે જેથી કરીને ડ્રો ના નામે રૂપિયા એકત્રિત કરવા કાવતરું કરવામાં આવ્યું છે ત્યારે ગૌશાળાના સંચાલકે યદુનંદન ગૌશાળા આવી રીતે કોઈ પાસેથી ફંડ ફાળા લેવામાં આવતા નથી જેથી કરીને પણ આવી લોભમણી જાહેરાતમાં આવીને રૂપિયા કોઈને આપવા નહીં.

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથે નોકરીની લાલચ આપીને લોકોની સાથે સોશિયલ મીડિયાના ઉપયોગ કરીને ફ્રોડ કરવામાં આવતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે તે ગૌશાળાના સંચાલક કાનજીભાઇ જારીયાના ધ્યાને આવેલ છે જેથી કરીને આ બાબતે તેઓએ સ્પષ્ટતા કરતો એક વિડીયો મુકેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ ગૌશાળા દ્વારા આવા કોઈ ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ નથી. અને ખાસ કરીને આ ગૌશાળા મકરસંક્રાતિએ પણ સ્ટોલ રાખી દાન ઉઘરાવતી નથી કે પછી લોકો પાસેથી કોઈ પણ પ્રકારના ફંડ ફાળા લેવામાં આવતા નથી. જેથી સોશિયલ મીડિયામાં ગૌશાળાના નામે લક્કી ડ્રોની જે જાહેરાત મૂકવામાં આવેલ છે તે ખોટી છે. જેથી કોઈએ પણ તેને ધ્યાને લઈને કોઈપણ રૂપિયા આપવા નહીં.








Latest News