મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા


SHARE





મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને યેનકેન પ્રકારે લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે તેવું સામે આવ્યું છે તેવામાં મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલ છે જેથી કરીને ડ્રો ના નામે રૂપિયા એકત્રિત કરવા કાવતરું કરવામાં આવ્યું છે ત્યારે ગૌશાળાના સંચાલકે યદુનંદન ગૌશાળા આવી રીતે કોઈ પાસેથી ફંડ ફાળા લેવામાં આવતા નથી જેથી કરીને પણ આવી લોભમણી જાહેરાતમાં આવીને રૂપિયા કોઈને આપવા નહીં.

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથે નોકરીની લાલચ આપીને લોકોની સાથે સોશિયલ મીડિયાના ઉપયોગ કરીને ફ્રોડ કરવામાં આવતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે તે ગૌશાળાના સંચાલક કાનજીભાઇ જારીયાના ધ્યાને આવેલ છે જેથી કરીને આ બાબતે તેઓએ સ્પષ્ટતા કરતો એક વિડીયો મુકેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ ગૌશાળા દ્વારા આવા કોઈ ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ નથી. અને ખાસ કરીને આ ગૌશાળા મકરસંક્રાતિએ પણ સ્ટોલ રાખી દાન ઉઘરાવતી નથી કે પછી લોકો પાસેથી કોઈ પણ પ્રકારના ફંડ ફાળા લેવામાં આવતા નથી. જેથી સોશિયલ મીડિયામાં ગૌશાળાના નામે લક્કી ડ્રોની જે જાહેરાત મૂકવામાં આવેલ છે તે ખોટી છે. જેથી કોઈએ પણ તેને ધ્યાને લઈને કોઈપણ રૂપિયા આપવા નહીં.




Latest News