મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ


SHARE













કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ

એચ.આઇ.વી. રોગ ગ્રસ્ત નાગરીકોમાં જાગૃતિ લાવવાના તથા બીમારી સાથે જે ગેર માન્યતાઓ દુર કરવા માટે કચ્છ NP + સંસ્થા કાર્યરત છે. તેમના દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી દરેક કચ્છ વાસીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતા વિનોદભાઇ ચાવડા દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ, ધાબડા તથા સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, સમાજમાં સાચી માહિતીનો પ્રચાર થાય, બીમારીમાં ઘટાડો કરવા કચ્છ NP પ્લસ ની ટીમ ખુબજ ઉમદા કાર્ય કરી રહી છે. એચ.આઇ.વી. બીમારી રોકવામાં મહત્વનું યોગદાન હુંફ આપવાની આપણી પણ ફરજ છે. આ બાબતે છેલ્લા દશેક વર્ષોથી હું પણ એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને મળી, તેમની સેવા અને જાગૃતતા લાવતી સંસ્થાઓના સંપર્ક કરી વ્યક્તિની, પરિવારની સમાજ અને તબીબો સાથે સંપર્ક કરી મદદરૂપ બનવા પ્રયત્નશીલ છું. આજે પણ આ કડકડતી ઠંડીમાં હુંફ માટે ૫૦ થી વધુ પરિવારોને ધાબડા અને સ્વેટરો તથા રાશનકીટ આપેલ છે. અને સમાજ પણ એચ.આઇ.વી. ગ્રસ્ત લોકો પ્રત્યે સમભાવ રાખી જાગૃતિ માટે કાર્યશીલ બને તેવી અપીલ કરી હતી.




Latest News