કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ
ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ
SHARE







ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ
ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગામ હજુ ખરા અર્થમાં ખેડૂતોનું ગામ છે. ૫૦ % થી વધુ ગ્રામજનો ગોપાલન કરે છે. અને રાત્રે ઠંડીમાં પણ ૮૫ જેટલા બહેનો તથા ૫૦ થી વધુ ભાઇઓએ શિબિરમાં આવ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ તથા ગૌશાળા સંચાલક જીલેશભાઇ કાલરિયા, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક સરડવા, ગોપાલન નિષ્ણાત તથા લેખક પ્રાણજીવન કાલરિયા, ગાયત્રી પરિવાર મોરબીના મણીભાઈ ગડારાએ ખેડૂતો તથા ગોપાલકોને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું અને પ્રાણજીવન કાલરિયાએ હાજર બહેનોને કીચનગાર્ડન માટે પાંચ પ્રકારના શાકભાજીના બીજનું કીટ આપી બહેનોને ઘરે ઝેર મુક્ત શાકભાજી તૈયાર કરી ખાવા માટે પ્રેરણા આપી હતી. અને પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાને બચાવવા માટે ગામેગામ આવા આયોજનોની તાતી જરૂરિયાત છે. મોરબી જિલ્લામાં આવા આયોજન તથા વધુ માહિતી માટે પ્રાણજીવન કાલરિયા ના મોબાઈલ નંબર 9426232400 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

