મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના પાસે ફોનમાં વાત કરતાં વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં


SHARE













મોરબી નજીક કારખાના પાસે ફોનમાં વાત કરતાં વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે ફોન ઉપર વાત કરી રહેલા વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સન સિરામિક યુનિટની બહારના ભાગમાં ફોન ઉપર વાત કરતા સમયે કોઈ કારણોસર સચિન વિજયસિંહ યાદવ નામના વ્યક્તિને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રાજુ (32) નામનો યુવાન વૈભવ હોટલ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ બાઈક વાળાએ તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

ધ્રાંગધ્રાના જસમતપુર ગામના રહેવાસી મનજીભાઈ કરસનભાઈ કોળી નામના વ્યક્તિ બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઈજા થ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસન જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. 








Latest News