મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE













હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

હળવદમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાકોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની બંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રહેતા અને મજૂરી કામ કરતા ખૂલસિંગ ધ15 વર્ષની દીકરી પ્યારીબેનએ ગત તા. 9/1 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી પ્રથમ મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતના બનાવમાં ઇજા

ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા વનીતાબેન વાસુદેવભાઈ દેત્રોજા (42) અને બળદેવ વાસુદેવભાઈ દેત્રોજા (16) નામના માતા પુત્ર રામનગર ખીજડીયા વચ્ચે તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થહોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી. આવી જ રીતે ટંકારા મોરબી રોડ પર આવેલ ધ્રુવનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટંકારામાં આવેલ સંધિવાસમાં હોસ્પિટલ રોડ ઉપર રહેતા હનીફ અલ્લારખા ભૂંગર (45) નામના યુવાનને ઇજા થયેલ હતી જે બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતા પ્રવીણભાઈ લાખાભાઈ ઠાકોર (18) નામના યુવાનને મોરબીના  ભરતનગર ગામ પાસે દ્વારકાધીશ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી








Latest News