મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE













હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

હળવદમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાકોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની બંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રહેતા અને મજૂરી કામ કરતા ખૂલસિંગ ધ15 વર્ષની દીકરી પ્યારીબેનએ ગત તા. 9/1 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી પ્રથમ મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતના બનાવમાં ઇજા

ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા વનીતાબેન વાસુદેવભાઈ દેત્રોજા (42) અને બળદેવ વાસુદેવભાઈ દેત્રોજા (16) નામના માતા પુત્ર રામનગર ખીજડીયા વચ્ચે તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થહોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી. આવી જ રીતે ટંકારા મોરબી રોડ પર આવેલ ધ્રુવનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટંકારામાં આવેલ સંધિવાસમાં હોસ્પિટલ રોડ ઉપર રહેતા હનીફ અલ્લારખા ભૂંગર (45) નામના યુવાનને ઇજા થયેલ હતી જે બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતા પ્રવીણભાઈ લાખાભાઈ ઠાકોર (18) નામના યુવાનને મોરબીના  ભરતનગર ગામ પાસે દ્વારકાધીશ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News