મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ


SHARE













મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબીમાં લાતી પ્લોટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં એક પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાનમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ કરવામાં આવેલી હોય હાલ પોલીસે બંને તરફથી ફરીયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૧૨ ના ખૂણા પાસે આવેલ ખ્વાજા પેલેસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.એક તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં સામેના પક્ષેથી આરીફ દાઉદભાઇ પરમાર (૫૫) રહે.મિલનપાર્ક સોસાયટી શેરી નંબર-૩ વાવડી રોડ વાળાએ વળતી ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેને મકબુલ મમુભાઈ સંધિ રહે.જુના બસ સ્ટેશન પાછળ મચ્છીપીઠ વિસ્તાર દરગાહ નજીક તથા એક અજાણ્યો ઈસમ એમ બે લોકો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ તેમના ઘર પાસે હતા ત્યારે ત્યાં તેમના ઘર પાસે આવીને તેમના પુત્ર શાહરૂખને જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ પાયક નામના ઈસમ સાથે અગાઉ બોલાચાલી ઝગડો થયો હતો તેનો રોષ રાખીને જુબેરના મિત્રો મકબુલ અને અજાણ્યો ઈસમ તેમના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરવામાં આવી હતી અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે હાલ યુ.જે.ટાપરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ખનીજ વિભાગની કામગીરી

મોરબી ખાણ ખનીજ વિભાગના મિતેશભાઈ ગોજીયા તથા દર્શિતભાઈ રાઠોડ સહિતની ટીમ દ્વારા છેલ્લા દિવસોમાં જુદા જુદા બે વિસ્તારોમાંથી ચાર વાહનો પકડવામાં આવ્યા હતા અને અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન થતું હોય દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યાંથી નીકળેલા વાહન નંબર જીજે ૧૩ એટી ૪૩૦૯ ના ચાલક રણછોડ જેઠાભાઇ બહુકિયા રહે.વાવડી, વાહન નંબર જીજે ૨૩એટી ૯૩૧૮ ચાલક મુકેશ ધનસિંહ ડાવર રહે.હાલ મોરબી મૂળ મધ્યપ્રદેશ અને વાહન નંબર જીજે ૧૩ એેકસ ૮૨૮૮ ના ચાલક મહેશ ગોવિંદ ચાવડા રહે.જાંબુડીયા પાસે તેમના વાહનમાં ભરવામાં આવેલ ખનીજ અંગેના આધાર પુરાવા તેમજ પરવાનાં માંગવામાં આવ્યા હતા. જે તેઓ પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે આ ત્રણેય વાહનોને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.તે રીતે જ તાલુકાના નાગડાવાસ ગામ પાસે રોડ ઉપરથી નીકળેલ વાહન નંબર જીજ્ ૧૩ બીડબલ્યુ ૮૩૬૧ ના ચાલક લખધીર રાજાભાઈ રબારી પાસે તેના વાહનમાં ભરેલ ખનીજના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે તે વાહનને પણ હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.






Latest News