મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબીમાં લાતી પ્લોટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં એક પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાનમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ કરવામાં આવેલી હોય હાલ પોલીસે બંને તરફથી ફરીયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૧૨ ના ખૂણા પાસે આવેલ ખ્વાજા પેલેસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.એક તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં સામેના પક્ષેથી આરીફ દાઉદભાઇ પરમાર (૫૫) રહે.મિલનપાર્ક સોસાયટી શેરી નંબર-૩ વાવડી રોડ વાળાએ વળતી ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેને મકબુલ મમુભાઈ સંધિ રહે.જુના બસ સ્ટેશન પાછળ મચ્છીપીઠ વિસ્તાર દરગાહ નજીક તથા એક અજાણ્યો ઈસમ એમ બે લોકો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ તેમના ઘર પાસે હતા ત્યારે ત્યાં તેમના ઘર પાસે આવીને તેમના પુત્ર શાહરૂખને જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ પાયક નામના ઈસમ સાથે અગાઉ બોલાચાલી ઝગડો થયો હતો તેનો રોષ રાખીને જુબેરના મિત્રો મકબુલ અને અજાણ્યો ઈસમ તેમના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરવામાં આવી હતી અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે હાલ યુ.જે.ટાપરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ખનીજ વિભાગની કામગીરી

મોરબી ખાણ ખનીજ વિભાગના મિતેશભાઈ ગોજીયા તથા દર્શિતભાઈ રાઠોડ સહિતની ટીમ દ્વારા છેલ્લા દિવસોમાં જુદા જુદા બે વિસ્તારોમાંથી ચાર વાહનો પકડવામાં આવ્યા હતા અને અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન થતું હોય દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યાંથી નીકળેલા વાહન નંબર જીજે ૧૩ એટી ૪૩૦૯ ના ચાલક રણછોડ જેઠાભાઇ બહુકિયા રહે.વાવડી, વાહન નંબર જીજે ૨૩એટી ૯૩૧૮ ચાલક મુકેશ ધનસિંહ ડાવર રહે.હાલ મોરબી મૂળ મધ્યપ્રદેશ અને વાહન નંબર જીજે ૧૩ એેકસ ૮૨૮૮ ના ચાલક મહેશ ગોવિંદ ચાવડા રહે.જાંબુડીયા પાસે તેમના વાહનમાં ભરવામાં આવેલ ખનીજ અંગેના આધાર પુરાવા તેમજ પરવાનાં માંગવામાં આવ્યા હતા. જે તેઓ પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે આ ત્રણેય વાહનોને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.તે રીતે જ તાલુકાના નાગડાવાસ ગામ પાસે રોડ ઉપરથી નીકળેલ વાહન નંબર જીજ્ ૧૩ બીડબલ્યુ ૮૩૬૧ ના ચાલક લખધીર રાજાભાઈ રબારી પાસે તેના વાહનમાં ભરેલ ખનીજના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે તે વાહનને પણ હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.






Latest News