પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા


SHARE











આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા

મોરબીના કોંગી અગ્રણી અને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતીલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી બજેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગ તથા ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહન મળી રહે તેવા પ્રકારની જોગવાઈઓ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.હાલના સંજોગોમાં જે પ્રકારે બજારમાં મંદિનો માહોલ છે.તેમાંથી ઉગરવા માટે અને છેવાડાના લોકોને રાહત મળે તે માટે મોરબીના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે અને તેને પ્રોત્સાહન મળે તેવી પ્રોત્સાહક યોજનાઓ બજેટમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં જણાવ્યા મુજબ ફેબ્રુઅરી માસમાં કેન્દ્ર સરકારનું તેમજ રાજ્ય સરકારનું બજેટ આવશે.તેમાં મોરબીના ઉધોગોને ધ્યાને લઇ સારી પ્રોત્સાહક સ્કીમો લાવવામાં આવે તે જરૂરી છે.કેમ કે મોરબી જીલ્લાની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ જે હાલમાં મંદીનો સામનો કરી રહેલ છે.તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવે અને તે માટે મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં પણ ભલામણ કરવામાં આવે અને રાજ્ય સરકારના બજેટમાં પણ યોગ્ય જોગવાઈ થાય તેવું કરવા માંગ કરવામાં આવેલ છે.ખાસ કરીને એક્ષ્પોર્ટ કરતા યુનિટોને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કાન્તિલાલ ડી.બાવરવા દ્રારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News