ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો
Breaking news
Morbi Today

આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા


SHARE







આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે  પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા

મોરબીના કોંગી અગ્રણી અને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતીલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી બજેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગ તથા ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહન મળી રહે તેવા પ્રકારની જોગવાઈઓ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.હાલના સંજોગોમાં જે પ્રકારે બજારમાં મંદિનો માહોલ છે.તેમાંથી ઉગરવા માટે અને છેવાડાના લોકોને રાહત મળે તે માટે મોરબીના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે અને તેને પ્રોત્સાહન મળે તેવી પ્રોત્સાહક યોજનાઓ બજેટમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં જણાવ્યા મુજબ ફેબ્રુઅરી માસમાં કેન્દ્ર સરકારનું તેમજ રાજ્ય સરકારનું બજેટ આવશે.તેમાં મોરબીના ઉધોગોને ધ્યાને લઇ સારી પ્રોત્સાહક સ્કીમો લાવવામાં આવે તે જરૂરી છે.કેમ કે મોરબી જીલ્લાની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ જે હાલમાં મંદીનો સામનો કરી રહેલ છે.તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવે અને તે માટે મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં પણ ભલામણ કરવામાં આવે અને રાજ્ય સરકારના બજેટમાં પણ યોગ્ય જોગવાઈ થાય તેવું કરવા માંગ કરવામાં આવેલ છે.ખાસ કરીને એક્ષ્પોર્ટ કરતા યુનિટોને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કાન્તિલાલ ડી.બાવરવા દ્રારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News