મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ


SHARE













મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ

 

મોરબીના બે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બે યુવાનોના જમીને સુતા બાદ નીંદ્રાધીન અવસ્થામાં જ મોત નિપજયા હોવાનું ખુલ્યું છે.  પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે આવેલ કારખાનામાં રહીને મજુરીકામ કરતો મુળ ઓરીસ્સાનો દેવાંશીષ ગોવિંદભાઈ બઠીયા (ઉ.24) ગઈકાલે બપોરે કામ ઉપરથી છુટીને પોતાના લેબર કવાર્ટરમાં ગયો હતો અને જમીને સુતો હતો.

જોકે સમય થતા કામ ઉપર ન પહોંચતા તેને બોલાવા માટે ઓરડીએ જતા ત્યાં ઓરડીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી. જાડેજાએ ડેડબોડીને સિવિલે પીએમ માટે ખસેડયો હતો. અને મોતનું કારણ જાણવા વિસેરા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 જયારે માળીયા (મીં)ના મોટા દહીંસરા ગામની પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે રહેતો અને મુળ ઝારખંડનો કુલદિપ મહંતો (ઉ.આ.20) નામનો યુવાન ગત રાતના કામ પતાવીને પરત તેની ઓરડીએ ગયો હતો ત્યાં જમીને સુતો હતો અને બાદમાં આજે સવારે તે ઉઠયો ન હોય નીંદ્રાધીન હાલતમાં જ તેનું મોત નિપજયું હોવાનું સામે આવેલ છે.

બનાવને પગલે એ ડીવીઝન પોલીસ મથકના પી.બી. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી આગળની તપાસ માટે માળીયા (મીં) પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે બંને બનાવોમાં મૃતકોની ઉપર 25થી નીચે છે.








Latest News