સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન


SHARE







મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન

મોરબીમાં સ્વ.શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જ્ઞાતિજનોને સમયસર પાસ મેળવી લેવા માટે આયોજકોએ જાણ કરેલ છે.

મોરબીમાં રામઘાટ પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે સમયાંતરે દાતાઓના સહકારથી પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સ્વ. શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના નોંધાયેલ સભ્યો માટે સમૂહ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 9/2/25 ને રવિવારે ભોજન સમારોહ યોજાશે ત્યાર પહેલા વ્યવસ્થાના ભાગ રૂપે નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ તા. 27/1 થી 6/2 સુધી કરવામાં આવશે જેથી કરીને તે પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ પાસ સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમ્યાન  ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા વાંકાનેર દરવાજા ખાતેથી લેવાના રહેશે.






Latest News