મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત


SHARE









મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

મોરબીના ઉમિયા સર્કલ પાસે નવા બની રહેલા બાંધકામના ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે બહુમાળીનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના ત્રીજા માળે ફેબ્રિકેશનનું કામ કરનાર નટવરભાઈ મનજીભાઈ કૈલા (ઉંમર ૫૨) રહેરવાપર ગામ વાળા કામગીરી દરમિયાન બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને કલ્પેશભાઈ ગોવિંદભાઈ હીરાણી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News