મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત


SHARE













મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

મોરબીના ઉમિયા સર્કલ પાસે નવા બની રહેલા બાંધકામના ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે બહુમાળીનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના ત્રીજા માળે ફેબ્રિકેશનનું કામ કરનાર નટવરભાઈ મનજીભાઈ કૈલા (ઉંમર ૫૨) રહેરવાપર ગામ વાળા કામગીરી દરમિયાન બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને કલ્પેશભાઈ ગોવિંદભાઈ હીરાણી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી








Latest News