મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવા વિભાગીય નિયામક દ્વારા માંગ


SHARE











વાંકાનેરનાં પુલ દરવાજા પાસે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવા વિભાગીય નિયામક દ્વારા માંગ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં એસ.ટી બસોને વધુ ટ્રાફિક મુખ્ય બસ સ્ટેશનથી વધુ જુના પુલ દરવાજા પાસે રહેતો હોય વિભાગીય નિયામક એસ.ટી. રાજકોટ વિભાગ દ્વારા અહીં પીકઅપ સ્ટેન્ડ માટે યોગ્ય જગ્યા ફાળવવા વાંકાનેર નગર પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.વાંકાનેરનાં મુખ્ય બસ સ્ટેશનનું કરોડોનાં ખર્ચે નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

પરંતુ વાંકાનેર એસ.ટી બસોને વધુ મુસાફરો પુલ દરવાજા પાસેથી મળે છે, અને પુલ દરવાજા સ્ટેન્ડ શહેરની મધ્યમાં હોય મુસાફરોને પણ વધુ અનુકૂળ રહે છે આથી મુખ્ય બસ સ્ટેશનથી પણ વધુ મુસાફરો પુલ દરવાજા સ્ટેન્ડ પરથી અવર જવર કરે છે, પરંતુ ત્યાં મુસાફરોને બેસવા કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી, મુસાફરોને-વિદ્યાર્થીઓને બસ આવે ત્યાં સુધી અહીં સતત ઉભા રહેવું પડે છે ત્યારે અહીં પીકઅપ સ્ટેન્ડ, પીવાનું પાણી, ઓન લાઈન રીઝર્વેશન, પાસ જેવી સુવિધાઓ શહેર મધ્યે જ મળી રહે તે માટે વિભાગીય નિયામક એસ.ટી રાજકોટ દ્વારા વાંકાનેર નગર પાલિકા પાસે અંદાજીત 100 ચો.મી. જમીન સરકાર શ્રી નાં મહેસુલ વિભાગના ઠરાવ નં. 3998, તા. 2/5/98 ની જોગવાઈ અનુસાર રૂ. 1 (એક) નાં ટોક ન ભાડા થી 99 વર્ષનાં ભાડા પેટે વાણિજ્ય વિકાસની મંજૂરી સહિત ફાળવવા માંગ કરવામાં આવી છે, પુલ દરવાજા સ્ટેન્ડ પર હજારો એસ.ટી મુસાફરોની અવર જવર રહે છે, જો વાંકાનેર નગર પાલિકા દ્વારા અહીં જમીન આપવામાં આવે તો અદ્યતન સુવિધાઓ સાથેનું પીકઅપ સ્ટેન્ડ બનાવવા એસ.ટી તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.






Latest News