મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન


SHARE













મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ખાખરાળા ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરાળા ગામે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી. ત્યારે બાદ ઉદ્ઘાટન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, જી.જે. શેઠ કોમર્સ કોલેજના આચાર્ય  ગરમોરાભાઈ, એમ.એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયાભાઈ, એનસીસી ઓફિસર ચૌધરીભાઈ, ખાખરાળા ગામના સરપંચ નાગદાનભાઈ, ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના શિક્ષક જોશીભાઈ સહિતના હાજર રહ્યા હતા. એનએસએસની સ્વયંસેવિકા બહેનોએ પ્રાર્થના અને લક્ષ્યગીત રજૂ કર્યું હતું તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ પ્રાસંગિક વક્તવ્ય કર્યું હતું આ સમારોહમાં મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા અને સ્વયંસેવક અજય ધોરીયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને નિખિલ કુંભરવાડીયાએ પોતાના અનુભવો રજૂ કરેલ કર્યા હતા તો અસ્મિતા સોનગરાએ એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.








Latest News