મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન


SHARE













મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ખાખરાળા ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરાળા ગામે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી. ત્યારે બાદ ઉદ્ઘાટન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, જી.જે. શેઠ કોમર્સ કોલેજના આચાર્ય  ગરમોરાભાઈ, એમ.એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયાભાઈ, એનસીસી ઓફિસર ચૌધરીભાઈ, ખાખરાળા ગામના સરપંચ નાગદાનભાઈ, ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના શિક્ષક જોશીભાઈ સહિતના હાજર રહ્યા હતા. એનએસએસની સ્વયંસેવિકા બહેનોએ પ્રાર્થના અને લક્ષ્યગીત રજૂ કર્યું હતું તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ પ્રાસંગિક વક્તવ્ય કર્યું હતું આ સમારોહમાં મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા અને સ્વયંસેવક અજય ધોરીયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને નિખિલ કુંભરવાડીયાએ પોતાના અનુભવો રજૂ કરેલ કર્યા હતા તો અસ્મિતા સોનગરાએ એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.




Latest News