મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો


SHARE













મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો

મોરબીમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુમંદિર (શનાળા) ખાતે પંચમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞના યજમાન પરેશભાઈ મોરડીયા અને તેમના પરિવારના સભ્યો હતા. અને આ તકે જીવનવિકાસ ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. તેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશભાઈ પતંગે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, ઈટાકા સિરામિકના ડાયરેક્ટર હિતેશભાઈ પટેલ અતિથિ તરીકે આવ્યા હતા. આ બધા મહેમાનો સાથે વિદ્યાલયના તમામ વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા. ત્યારે સરસ્વતી માતા અને ભારત માતાનું પૂજન કર્યું હતું અને જીવન વિકાસ ગોષ્ઠીના મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ પતંગે તેમના વક્તવ્યમા જીવન વિકાસ માટેના પંચપ્રાણની વાત કરેલ હતી. ત્યારબાદ કલેક્ટર કે.બી. ઝવેરીપોતાના ઉદ્બોધનમાં સનાતન ધર્મ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરી હતી. અને અંતમાં ભારતમાતા અને બાવન શક્તિપીઠની મહાઆરતી કરવામાં આવી હતી.








Latest News