મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી અવની ચોકડી નજીક અકસ્માત બનાવમાં વૃદ્ધા ઇજાગ્રસ્ત


SHARE













મોરબી અવની ચોકડી નજીક અકસ્માત બનાવમાં વૃદ્ધા ઇજાગ્રસ્ત

મોરબીની અવની ચોકડી નજીક રહેતા ગીતાબેન વનુભાઈ કુંડારીયા નામના ૬૯ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા. ત્યારે રવાપર-કેનાલ રોડ નિર્મલ સ્કૂલ નજીક તેઓનું બાઇક સ્લીપ થવાના બનાવમાં તેઓને ઈજા થતાં તેમને સારવાર માટે લઇ જવાયા હતા.જ્યારે મોરબીના કપિલા હનુમાન મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં માધાપર વિસ્તારમાં રહેતા અરબાઝ સલીમભાઈ ભટ્ટી (૨૨) અને હસીનાબેન સલીમભાઈ ભટ્ટી (૪૭) ને ઇજાઓ થતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલાએ તપાસ કરી હતી.

કામ દરમિયાન ઈજા

મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ અરવલ્લીના પરિવારના સાહેલીબેન સવજીભાઈ ડામોર નામની ૧૫ વર્ષીય યુવતીને કામ દરમિયાન ઇજા થતાં અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાડ આવેલ.બનાવને પગલે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઇક ડિવાઈડરની સાથે અથડાતા જમણા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ભાવેશભાઈ મકનભાઈ દેત્રોજા (૪૧) રહે. માણેકવાડા ને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલાએ નોંધ કરીને તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રહેવાસી આર્યન દિનેશભાઈ નારણીયા નામના ૧૮ વર્ષના યુવાનને રાજકોટ હાઇવે ઉપર બાઈક અને બોલેરો અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે હળવદના રહેવાસી પ્રેમપુરી કેશવપુરી ગોસાઈ (ઉમર ૭૮) ને વીરપર ગૌશાળા નજીક બાઇક સ્લીપ થતા અકસ્માતગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ હળવદના દીઘડીયા ગામે રહેતા સોનાબેન વિનાભાઈ કાંજિયા (ઉમર ૨૦) ને હળવદ-સરા રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજા થતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મહેશગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામનો ૪૭ વર્ષીય યુવાન મોરબીના કેનાલ રોડ બોરીયા પાટી નજીકથી જતો હતો. ત્યાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત બનાવમાં તેઓને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે બાઈકમાંથી નિચે પડી જતા અનંત મુકેશભાઈ પરમાર (ઉંમર ૧૪) રહે.પંચાસર રોડ નામના સગીરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.








Latest News