મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કૉલેજ ખાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું


SHARE













મોરબી નવયુગ કૉલેજ ખાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું

મોરબી એબીવીપી દ્વારા નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી કૉલેજના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આવેલા નવયુગ કૉલેજ કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૂરતી માત્રામાં ફી વસુલવા છતાં પણ કોલેજના ઘણા ખરા વિદ્યાર્થીઓને કૉલેજના કાર્યક્રમોમાં કે કૉલેજની પ્રવૃતિઓમાં આવવાની સંદતર મનાઈ કરવામાં આવે છે. કૉલેજની અંદર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર શાંતી પૂર્વક રજૂઆત કરવા છતાં પણ કૉલેજના પ્રિન્સીપાલ દ્વારા તોછડાઈ પૂર્વક જવાબ આપવામાં આવતો હતો. અને કૉલેજના પ્રિન્સીપાલને રજૂઆત કરી હતી ત્યારે પ્રિન્સીપાલે પોતે વિધાર્થીઓને ના નથી પાડી પરંતુ કાર્યક્રમનું આયોજન કરતી વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ના પાડવામાં આવી છે આવી ખોટી વાતો કરીને વિધાર્થીઓને પરસ્પર ગુમરાહ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેથી કૉલેજના ટ્રસ્ટી પી.ડી કાંજીયાને પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો હાજર રહ્યા હતા. અને કૉલેજના ટ્રસ્ટી પી.ડી કાંજીયા દ્વારા વિદ્યાર્થીઓ કોલેજમાં નિયમિત હાજર રહેશે તો તેઓને અગામી કાર્યક્રમમાં જુદીજુદી પ્રવૃતિઓમાં પ્રવેશ આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.




Latest News