મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના સજનપર, મોટીબરાર અને ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી


SHARE













મોરબીના સજનપર, મોટીબરાર અને ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી

મોરબી જિલ્લામાં જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હતી.જેમાં ટંકારા તાલુકાના સજનપર ગામ, માળિયા(મું.) ના મોટીબરાર ગામ અને મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે.

માહીતી મુજબ પી. એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં ૧૯ મું સ્થાન મેળવુ છે.ટંકારા તાલુકાની પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જાદવ શિવમ બાલુભાઈએ આ વર્ષે યોજાયેલ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં કુલ ૮૦ વિદ્યાર્થીઓ પાસ થયેલ જેમાં ૧૯ મો ક્રમ મેળવેલ છે.આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને ગામના સરપંચ તેમજ સમગ્ર ગામલોકોએ વિદ્યાર્થી અને તેના પરિવારજનોને અભિનંદન પાઠવેલ છે.આ તકે ઉલ્લેખનીય છે કે શ્રી સજનપર પ્રાથમિક શાળામાં હર હંમેશ બાળકોના વિકાસ માટે શિક્ષકો દ્વારા જવાહર નવોદય, CET, NMMS, PSE અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિયમિત તૈયારી કરાવવામાં આવે છે.આ અનોખી સિદ્ધિ બદલ તમામ શિક્ષકોને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

તેમજ માળીયાના મોટી બરાર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરેલ છે.જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે.આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે.આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૯ માટેની પ્રવેશ પરીક્ષામાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બોચિયા રિધ્ધીબેન મનસુખભાઈ ઉત્તીર્ણ થઈ છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા હતા.જયારે મોરબી તાલુકાના શ્રી ગોર ખીજડીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ચાવડા રાહુલ લખમણભાઈએ ધોરણ ૮ ની નવોદયની પરીક્ષા પાસ કરીને મેરીટમાં સ્થાન મેળવ્યું છે.આ તકે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા






Latest News