મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
SHARE
મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે 16 વર્ષના સગીર બાળકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા છરી મરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સંસ્કાર હાઈટસ ખાતે રહેતા વકારઅહેમદ જાવીદભાઈ નામના 16 વર્ષના સગીરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે છરી મારવામાં આવી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે સગીર બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે અને બાળકને કોણે છરી મારી તેમજ શા માટે છરી મારવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
મહિલા સારવારમાં
મૂળ ભાવનગરના રહેવાસી નયનાબા વિક્રમસિંહ સરવૈયા (33) નામના મહિલા તેના મામા સાથે બાઈકમાં જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ડાબા પગમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા હરેશભાઈ ઝિંઝવાડીયા (30) નામનો યુવાન હળવદની મોરબી ચોકડી પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને 108 મારફતે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનને ડાબા પગમાં ફેક્ચર થયેલ હોય હાલમાં તે સારવાર હેઠળ છે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી