માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન


SHARE













મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ કારખાનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરી તેમજ સેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદાજે 32.72 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા. 7/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાની અંદર કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરીમાં તેમજ કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિરેનભાઈ હરજીવન પટેલ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગમાં થયેલ નુકસાની અંગેની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, કારખાનામાં આગ લાગવાના કારણે હેમરમીલ મશીન, બ્લેન્ડર મશીન, ફોર્મિંગ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયેલ છે તેમજ લોખંડના પતરા અને શેડમાં પણ મોટું નુકસાન થયેલ હોય કુલ મળીને 32.75 લાખથી વધુ નુકસાન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા ચંદ્રિકાબેન અજયભાઈ ગઢવી (33) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા દિનેશભાઈ જગાભાઈ વજારીયા (40) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા રામુભાઈ (30) નામના યુવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News