મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન


SHARE











મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ કારખાનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરી તેમજ સેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદાજે 32.72 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા. 7/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાની અંદર કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરીમાં તેમજ કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિરેનભાઈ હરજીવન પટેલ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગમાં થયેલ નુકસાની અંગેની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, કારખાનામાં આગ લાગવાના કારણે હેમરમીલ મશીન, બ્લેન્ડર મશીન, ફોર્મિંગ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયેલ છે તેમજ લોખંડના પતરા અને શેડમાં પણ મોટું નુકસાન થયેલ હોય કુલ મળીને 32.75 લાખથી વધુ નુકસાન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા ચંદ્રિકાબેન અજયભાઈ ગઢવી (33) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા દિનેશભાઈ જગાભાઈ વજારીયા (40) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા રામુભાઈ (30) નામના યુવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News