મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન


SHARE











મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ કારખાનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરી તેમજ સેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદાજે 32.72 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા. 7/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાની અંદર કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરીમાં તેમજ કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિરેનભાઈ હરજીવન પટેલ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગમાં થયેલ નુકસાની અંગેની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, કારખાનામાં આગ લાગવાના કારણે હેમરમીલ મશીન, બ્લેન્ડર મશીન, ફોર્મિંગ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયેલ છે તેમજ લોખંડના પતરા અને શેડમાં પણ મોટું નુકસાન થયેલ હોય કુલ મળીને 32.75 લાખથી વધુ નુકસાન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા ચંદ્રિકાબેન અજયભાઈ ગઢવી (33) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા દિનેશભાઈ જગાભાઈ વજારીયા (40) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા રામુભાઈ (30) નામના યુવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News