મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત


SHARE















મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત

મોરબી જીલ્લામાં આવેલ શાળામાં ફાયર સેફ્ટીની એનઓસી ન હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને શિક્ષણાધિકારી દ્વારા છેલ્લી તાકીદ કરવામાં આવેલ છે અને હવે જો ફાયર સેફ્ટી માટેનું એનઓસી નહીં લેવામાં આવેલ તો આગામી દિવસોમાં શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના થઈ શકે છે તેવા સંકેતો અધિકારી તરફથી મળી રહ્યા છે.

સરકારના નિયમોનુસાર 500 ચો.મી. કે 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એનઓસી ફરજીયાત છે અને દરેક શાળાઓને પુરતો સમય આપવામાં આવેલ છે તો પણ મોરબી જીલ્લામાં આજની તારીખે 6 ગ્રાન્ટેડ, 11 સ્વનિર્ભર શાળાઓમાં ફાયર એનઓસી નથી જેથી તે શાળાઓને એક વખત નહીં ત્રણ વખત નોટીસ આપવામાં આવી છે તો પણ ફાયર સુવિધા રાખવામા આવેલ નથી અને ફાયરની ઓનોસી લેવામાં આવેલ નથી જેથી કરીને કુલ 17 શાળા સંચાલકોને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને છેલ્લી તાકીદ કરવામાં આવી છે અને જે શાળામાં ફાયર સેફટી સીસ્ટમ ઇન્સ્ટોલ નથી ત્યાં ફાયરના સાધનો મૂકવા માટેની તાકીદ કરવામા આવી છે અને જો હવે શાળાના સંચાલકો નિયમોનું પાલન કરશે નહીં તો તેની શાળાની માન્યતા રદ કરવા સુધીની ભલામણ કરવામાં આવશે તેમ અધિકારી જણાવ્યુ છે 

હાલમાં જે શાળાઓને છેલ્લી તાકીદ કરેલ છે તેમાં ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ- મોરબી,  શ્રી ઉમા કન્યા વિધાલય- હળવદ, રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિધાલય- હળવદ, શ્રી નકલંક વિદ્યાપીઠ- સુખપર, અજંતા વિધાલય- મોરબી, શ્રી નવોદય વિધાલય- ઘૂટું, સમજુબા વિધાલય- નાની વાવડી, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગ્રેજી માધ્યમ) પીપળીયા, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર પીપળીયા,  સંકલ્પ માધ્યમિક વિદ્યાલય- નાની વાવડી, જ્ઞાનદીપ વિધાલય- હડમતીયા, જી.પી. હાઈસ્કૂલ પીપળીયારાજ, જુના ઘાંટીલા હાઈસ્કૂલ- ઘાટીલા, શ્રી એમ.જી. ઉ.બી.માધ્યમિક વિધાલય- જોધપર નદી, સી.એમ.જે હાઈસ્કૂલ- જેતપર, શ્રી મહર્ષિ દયાનંદ વિધાલય- ટંકારા અને શ્રી બી.જે. કણસાગરા હાઈસ્કૂલ- નસીતપર નો સમાવેશ થાય છે.






Latest News