ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત


SHARE











ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવેલ ઓવરબ્રીજ પાસે વહેલી સવારે બાઈક સાથે બાઈક અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ગંભીરપણે ઘવાયેલ વૃદ્ધને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી પોલીસ દ્રારા ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.

ટંકારા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા ખાતે આવેલ ફલાઇ ઓવર પુલની નજીક તા.૯-૪ ના રોજ વહેલી સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં પચાસેક વર્ષના આધેડને ઈજા થઈ હોય ૧૦૮ વડે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જોકે તે સમયે મૃતકની ઓળખ થઈ ન હતી અને આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી ટંકારા પોલીસ મથકના રાજુભાઈ કણજારિયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી હતી અને બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે તા.૯ ના વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં ટંકારા નજીક અકસ્માત બનાવો બન્યો હતો.તે બનાવમાં અનવરભાઈ સિદીકભાઇ સરવદી (ઉંમર ૪૯) રહે.ટંકારા પોલીસ સ્ટેશન પાછળ ટંકારા જીલ્લો મોરબી નું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.મૃતક અનવરભાઈ સરવદી બાઈક લઈને જતા હતા ત્યારે સંભવત: અજાણ્યા અન્ય કોઈ બાઈક સાથે તેમનું બાઈક અથડાયું હતું અને આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજા થતા ૧૦૮ વડે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. જોકે અહીં તેઓને મૃત જાહેર કર્યા હતા.હાલ અકસ્માત બાદ વાહન લઈને ભાગી છુટેલા વ્યક્તિને શોધવા માટે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News