મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

લજાઈ પાસે જોગ આશ્રમ-પાનેલી ગામે રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE













લજાઈ પાસે જોગ આશ્રમ-પાનેલી ગામે રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે અને મોરબી-2 ઘટકના પાનેલી 1 અને 2 તેમજ ગિડચ કેન્દ્રએ સાથે મળીને રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિગત રીતે કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ ખાતે ૪૫ અને રામાપીરના મંદિરે 15 સગર્ભાનું ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારે બહેનોને ગર્ભ સંસ્કારથી થતા સગર્ભા માતા, બાળક, પરીવાર અને આવનારી પેઢીને ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારે દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર ઉપરાંત મયુરીબેન ઉપાધ્યાય, તેજલ દેકાવડીયા, રાજેશ્રીબેન ત્રિવેદી, તલાટી કમ મંત્રી અને વહીવટદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને રામાપીરના મંદિરે પરમાર ક્રિષ્નાબેન, ચાવડા શીતલબેન, હડિયલ જિજ્ઞાશાબેન અને છાયાબેન પંડ્યા સહિતના હાજર રહ્યા હતા








Latest News