મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ખેડા જિલ્લાના યુવાને આર્થિક સંકળામણના લીધે ઓરડીમાં અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી અને રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એકવાય ડેકોર નામના કારખાનાના સંચાલક યોગેશભાઈ સરડવા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એકવાય ડેકોર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજય દીપાભાઇ ચાવડા (ઉંમર ૨૧) મૂળ રહે. વજેપા ગામ તા.ઠાસરા જી.ખેડા હાલ રહે.રફાળેશ્વર જીઆઇડીસી એકવાય ડેકોર લેબર કવાટરની ઓરડી તેના લેબર કવાટર ખાતે ગળેફાંસો ખાઈ ગયેલ છે.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ જમાદાર બળદેવભાઈ દેત્રોજા તપાસ માટે પહોંચ્યા હતા અને સંજયભાઇના મૃતદેહને પીએમ માટે સિવિલએ ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક સંજયભાઈ ચાવડા ખેડા જિલ્લાના વતની હતા અને અહીં મજૂરી કામ કરીને ઉપરોકત જગ્યાએ ઓરડીમાં રહેતા હતા.તેણે આર્થિક સંકળામણના પગલે અંતિમ પગલુ ભરીને જીવનનો અંત આણ્યો હતો.હાલ તેના વતનમાં તેના પરિવારને આ બનાવની જાણ કરવા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર પાસે સત્યમ પાર્કમાં રહેતા મયુરભાઈ ભલાભાઇ મકવાણા (30) નામના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે તૃપ્તિબેન જીતેન્દ્રભાઈ રામાવત (45)ને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News