મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ: કાલે બંધનું એલાન


SHARE













જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવી મળી રહ્યો છે અને મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યુ છે અને કાલે મોરબીમાં રેલી યોજાશે અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે. ત્યારે મોરબીની મુખ્ય બજારો રહેશે બંધ

જમ્મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો, મોરબી પ્લાસ્ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ,મોરબી કરીયાણા મર્ચન્ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સવારથી બપોરના 2:00 વાગ્યા સુધી મોરબી શહેરમાં આવેલ મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ આવતીકાલે સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને તે રેલીને મોરબીના નેહરુ ગેટ ચોકમાં પુરી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવશે તેમાં મોરબીના વેપારીઓ ઉપરાંત નગરજનો સહિતના લોકો જોડાશે. અત્રે ઉલ્લેખીએ છે કે જમ્મુના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો ત્યાં હુમલો કરવા માટે થઈને આવેલા આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવતા હિન્દુ વેપારીઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાયેલ છે એટલા જ માટે કાલે તા 25 ના રોજ સવારે 9:30 થી 2:00 વાગ્યા સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે તેવુ વેપારીઓએ જણાવ્યુ છે.








Latest News