વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ: કાલે બંધનું એલાન


SHARE











જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવી મળી રહ્યો છે અને મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યુ છે અને કાલે મોરબીમાં રેલી યોજાશે અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે. ત્યારે મોરબીની મુખ્ય બજારો રહેશે બંધ

જમ્મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો, મોરબી પ્લાસ્ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ,મોરબી કરીયાણા મર્ચન્ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સવારથી બપોરના 2:00 વાગ્યા સુધી મોરબી શહેરમાં આવેલ મુખ્ય બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ આવતીકાલે સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને તે રેલીને મોરબીના નેહરુ ગેટ ચોકમાં પુરી કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવશે તેમાં મોરબીના વેપારીઓ ઉપરાંત નગરજનો સહિતના લોકો જોડાશે. અત્રે ઉલ્લેખીએ છે કે જમ્મુના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો ત્યાં હુમલો કરવા માટે થઈને આવેલા આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવતા હિન્દુ વેપારીઓમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાયેલ છે એટલા જ માટે કાલે તા 25 ના રોજ સવારે 9:30 થી 2:00 વાગ્યા સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે તેવુ વેપારીઓએ જણાવ્યુ છે.






Latest News