મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી


SHARE







મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા 10 હોસ્પિટલ-1 મોલના સ્ટાફને ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી

મોરબી મહાપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આવેલ હોસ્પિટલ પૈકી 10 હોસ્પિટલ, 1 કમર્શિયલ મોલના કુલ મળીને 120 થી વધુ કર્મચારીને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી વધુમાં ફાયર પ્રિવેનાનના ભાગ રૂપે શાળાઓનું અને હોટેલમાં કાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા શાળા અને હોટેલને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી વધુમાં મોરબી જીલ્લામાં પાંચ જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

મોરબીમાં ફાયર વિભાગની સતર્કતા તપાસવા માટે મોરબીમાં સામાકાંઠે આવેલ ડી માટે-મોલ ખાતે ફાયર વિભાગ અને ડી માર્ટના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦:૩૮ કલાકે આગ લાગવાની જાણ થતા ૧૦ મિનીટની અંદર ફાયરની ટીમ ઘટના સ્થળ પર હાજર થયા બાદ ફાયર ટીમ દ્વારા પાર્કિંગમાં લાગેલ આગને કાબુમાં લીધેલ હતી અને ત્યારબાદ આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનું આયોજન કરવામાં આવે  છે તેનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાપાલિકામાં આવેલ હોસ્પિટલ, સ્કુલ, હોટેલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તેની સમજ આપવાનો હોય છે






Latest News