વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત
મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં પાનેલી પ્રા. શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રા. શાળા તથા ગીડચ આંગણવાડીના બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ના જતા તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવેલ હતું. ખાસ કરીને બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે તેઓ કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ જણાય છે. જેથી બાળકોના આંતરડામાંથી કૃમિ દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળીઓ બાળકોને આપવા માં આવે છે જેથી બાળકોના આંતરડામાંથી કૃમીઓનો નાશ થાય છે. અને કૃમિના કારણે આયર્નની કમી થવાથી પાંડુરોગ જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે. તો બાળકોને કૃમિથી બચાવવા માટે આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે. જે ચાવીને ખાવાની હોય છે. મીઠી લાગે એટલે બાળકો ચાવીને ખાઈ શકે છે.