મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન
SHARE
મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન
મોરબી અધ્યયન મંડળ દ્વારા તા ૧૨/૦૨/૨૬ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા શનાળા રોડ ઉપર છોટાલાલ પ્રેટ્રોલ પંપ વાળી શેરીમાં શનિદેવના મંદિરની પાછળ આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાશે.
આ કાર્યશાળામાં રાજકોટના ધનશ્યામભાઈ ગઢવી (ડાયરેક્ટર મણિમંદિર સંગ્રહાલય, ટી.વી. કલાકાર) જેઓ ભારતીય મંદિરો, સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓનું ગુરુત્વ કેન્દ્રબિંદુ વિષય પર વ્યાખ્યાન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા, સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.