મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ


SHARE















મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ

મોરબી મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા મિકલત વેરો વસૂલ કરવા માટેની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે મિલકતના આસામીઓ પાસેથી વર્ષ 2025-26નું વિવિધ પ્રકારના ટેક્સનું માંગણું બાકી હોય તેઓની પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે હવે મિલકત વેરા શાખાના કર્મચારીઓ દ્વારા મિલકતો સીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે મનપાની ટીમે 37 મિલકતોને સીલ કરેલ છે.

મોરબી મનપાની વેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને મિલકતને સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મિલકતવેરો ન ભરનાર 312 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને વોરંટની બજવણી કરવામાં આવી હતી છતાં પણ મિલકત વેરો ભરપાઈ ન કરનાર 37 આસામીઓની મિલકતને મનપાની ટીમે સીલ કરી છે આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 2,48,40,503 અને જુદા-જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,12,83,844 ની વેરાની આવક થયેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ છે કે, આગામી સમયમાં મિલકત વેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, જેથી જે આસામીનો મિલકત વેરો બાકી હોય તેઓએ વહેલી તકે ભરી દેવો જોઈએ નહીં તો મનપા દ્વારા બાકી વેરાને વસૂલ કરવા માટે તેઓની મિલકતને સીલ કરવામાં આવશે.






Latest News