વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
Breaking news
Morbi Today

રાજકોટની યુવતીને આપઘાત માટે મજબુર કર્યાંના ગુનામાં ટંકારાના પરીણિત યુવાનના જામીન નામંજૂર


SHARE

















રાજકોટની યુવતીને આપઘાત માટે મજબુર કર્યાંના ગુનામાં ટંકારાના પરીણિત યુવાનના જામીન નામંજૂર

ગત તા.2-4-2025 ના રોજ રાજકોટમાં આવેલ કેવલમ આવાસ યોજના ક્વાર્ટરમાં મરણજનાર રૂકસાનાબેન ઉર્ફે રૂષિ ઓસમાણભાઈ જુણેજાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.

તે બનાવ અંગે મરણજનારના ભાઈ ઇમ્તિયાઝ ઓસમાણભાઈ જુણેજા એ તા.3-4-2025 ના રોજ ગાંધીગ્રામ-2 (યુનિ.)પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, મરણ જનાર તેમની બહેન થાય છે. તેમની બહેન સાથે આરોપી રફિકભાઈ ઉંમરભાઈ ભાણું (રહે. સંધીવાસ મેઈન બજાર ટંકારા)એ 17 વર્ષથી પ્રેમ સંબંધ રાખી અને આરોપીના છેલ્લા 13 વર્ષથી બીજે નિકાહ થયેલ હોવા છતા રૂકસાના સાથે પ્રેમસબંધ રાખી બાદમાં હેરાન પરેશાન કરી.ત્રાસ આપી તરછોડી દીધેલ. મરણ જનારને મરવા માટે મજબૂર કરી દીધેલ. તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા, પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો. જેલમાં રહેલ આરોપી રફિકભાઈ ભાણુએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, મરણ જનારની સ્યુસાઈડ નોટ મળી આવેલ છે.

તેમાં આરોપીના ત્રાસ અને તરછોડી દીધાના હિસાબે તેઓ આપઘાત કરે છે તે બાબતનો ઉલ્લેખ છે. હાલ સ્યુસાઈડ નોટ એફએસએલમાં મોકલવાની હોય, પોલીસ તપાસ ચાલુ છે.આરોપી વિરુદ્ધ પ્રાઈમાફેઈસી કેસ હોય તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા




Latest News