માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE

















મોરબીમાં માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા દૂર કરો: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગરમાં પાણીના ધાંધીયા છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજામોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. અને તે સંપમાંથી માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવે છે જો કે, વિસ્તારના લોકો માટે પાણી સપ્લાઈની પાઈપલાઈનમાંથી ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશન આપવામાં આવ્યા હોય લોકોના ઘર સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમા પાણી આવતું નથી જેથી લોકોને પાણી માટે હેરાન થવું પડે છે અને કેટલાક વિસ્તારમાં રહેતા લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News